જૂનાગઢના તેમજ સમગ્ર સોરઠ પંથકના વીરભામાશા એવા દાનવીર જવાહરભાઈ ચાવડા દ્વારા આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશનને વિકલાંગ બાળકો માટે ફોર વિહિકલનું (મેજીક) અનુદાન કરેલ

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ

          જવાહરભાઈ ચાવડા દ્વારા એક માનવ સેવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું તેઓએ વિકલાંગ બાળકો માટે ચાલતું ટ્રસ્ટ આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશન ને માનનીય કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા એ પોતાના માતૃશ્રી સોનબાઈબેનની યાદ મા સ્વ.ખર્ચે આશરે રૂપિયા ૪,૦૦,૦૦૦ (ચાર લાખ) નુ મેજીક અનુદાન કર્યું હતું. આ તકે આસાદીપના સમગ્ર સ્ટાફે જવાહરભાઈનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. જવાહરભાઈ આવી રીતે હરહંમેશ ગરીબ, નિરાધાર, નિ:સહાય, દિવ્યાંગ લોકોની સેવા માટે કોઈને કોઈ પ્રકારે સેવાનું કાર્ય કરતા રહે છે.

રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, જૂનાગઢ

Related posts

Leave a Comment