હિન્દ ન્યૂઝ, જૂનાગઢ
જવાહરભાઈ ચાવડા દ્વારા એક માનવ સેવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું તેઓએ વિકલાંગ બાળકો માટે ચાલતું ટ્રસ્ટ આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશન ને માનનીય કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા એ પોતાના માતૃશ્રી સોનબાઈબેનની યાદ મા સ્વ.ખર્ચે આશરે રૂપિયા ૪,૦૦,૦૦૦ (ચાર લાખ) નુ મેજીક અનુદાન કર્યું હતું. આ તકે આસાદીપના સમગ્ર સ્ટાફે જવાહરભાઈનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. જવાહરભાઈ આવી રીતે હરહંમેશ ગરીબ, નિરાધાર, નિ:સહાય, દિવ્યાંગ લોકોની સેવા માટે કોઈને કોઈ પ્રકારે સેવાનું કાર્ય કરતા રહે છે.
રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, જૂનાગઢ