દિયોદર ભેંસાણા ગામે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની સમજણ અપાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર

           દિયોદર ના ભેંસાણા ગામે આજે ઉદયભાઈ પટેલ ના ખેતર પર દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની શ્યામસુંદર બાપુ દ્વારા વિગતે સમજણ આપવામાં આવી હતી. જેમાં ગાય ના છાણ માંથી બનતા વિવિધ ખાતર અને ગૌ મૂત્ર માંથી બનતી ખેતી માટે ની દવાઓ ની સમજણ આપવામાં આવી હતી અને ઓછા ખર્ચે વધુ નફો કઈ રીતે મળી શકે તે માટે આ નાની શિબિર માં સમજણ આપવામાં આવી હતી. જેમાં ગામના પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ભેંસાણા ગામે આજે પણ અનેક ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી ને સારો નફો મેળવે છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment