ગીર સોમનાથ જિલ્લામા ત્રણ દિવસ માટે પોલીસ વિભાગના કર્મચારીઓને કોવિશિલ્ડ વેકસીન આપવાનો પ્રારંભ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

તા.૩૧, ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે આજે ડી.વાય.એસ.પી.એમ.એમ.પરમારે પ્રથમ વેકસીન લઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉના, ગીરગઠડા અને તાલાળા ખાતે પોલીસ કર્મચારીઓને કોવિશિલ્ડ વેકસીનથી રક્ષિત કરવામાં આવ્યા હતા. આજે પ્રથમ દિવસે ૬૦૦ જેટલા કર્મચારીઓને વેકસીન આપવામાં આવી હતી.

જિલ્લામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ૧૧૦૦ કર્મચારીઓ સહિત ટ્રાફિક બ્રિગેડના-૭૦, એસઆરપી-૮૭, હોમગાર્ડ-૩૭૧, આઈબી-૧૨ અને જીઆરડી-૮૫૭ પોલીસ કર્મચારીઓને વેકસીન આપવામાં આવી રહી છે. મહિલા અને પુરુષ પોલીસ કર્મચારીઓ માટે ત્રણ દિવસ સુધી વેકસીન આપવામાં આવશે.

આ અભિયાનમાં વેકસીનેટર લવલીબેન ચૌધર, કિંજલબેન ઝાપોદરા, ડો.શીતલબેન રામ, તાલુકા સુપરવાઈઝર એ.કે.ઠાકર સહિતના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ તેમની ફરજ બજાવી હતી. તમામ વેકસીન લેનાર કર્મચારીઓને ૩૦ મીનીટ સુધી નિરિક્ષણ રૂમમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. જ્યાં કોઈને પણ આડ અસર થઈ ન હતી. કોવિશિલ્ડ વેકસીન સંપુર્ણ સુરક્ષિત છે.

Related posts

Leave a Comment