આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા સુંદલપુરા ગામ ના આનંદપુરામાં જાહેર માર્ગ બંધ કરતાં થયો હોબાળો

હિન્દ ન્યૂઝ, આણંદ

સુંદલપુરથી લાલપુરા જતા માર્ગ ની વચ્ચે આવેલ આનંદપુરા ફુલવાઈ નગરને જોડતા રોડનું સમારકામ ચાલુ હોય જેને ગામનાં તે વિસ્તારમાં રહેતા દિલીપભાઈ પ્રતાપભાઈ ઝાલા, ગલાભાઈ પ્રતાપભાઈ ઝાલા તથા તેમના પત્ની કોકીલાબેન ગલાભાઈ ઝાલા, ઈશાબેન પ્રતાપભાઈ ઝાલા એ રસ્તા વચ્ચે પથ્થર તથા લાકડાં મુકીને બંધ કરી દેતા તે માર્ગ પરથી જતા લોકોમાં રોશ જોવા મળ્યો હતો. સદર માર્ગ મેન રોડથી એટલે કે સુંદલપુરા થી આનંદપુરા ફુલવાઈનગર થી ઘોડાપુરાથી અહીમાગામે નિકળતો નાનો માર્ગ હોય જેનું સમારકામ ચાલતું હોય જેને અટકાવતા ભારે હોબાળો થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સમગ્ર ઘટના ની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો સમયસર પહોંચી સમગ્ર ઘટના ને થારે પડી હતી.

રિપોર્ટર : બળદેવસિહ બોડાણા, આણંદ

Related posts

Leave a Comment