થાનગઢ ખાતે સંયુક્ત ઉપક્રમે આયોજીત “મહારક્તદાન શિબિર’ નું આયોજન

હિન્દ ન્યૂઝ, થાનગઢ        

            “શ્રી સ્વનિર્ભર શાળા (ખાનગી શાળા) સંચાલક મંડળ થાનગઢ” તથા “થાનગઢ લાયન્સ ક્લબ” ના સંયુક્ત ઉપક્રમે આયોજીત “મહારક્તદાન શિબિર” નું આયોજન 26મી જાન્યુઆરી 2021ના રોજ બ્રહ્મસમાજ ની વાડી થાનગઢ ખાતે કરવામાં આવ્યું. ઉદ્ઘાટન સમારોહ માં પદ્મશ્રી શાહબુદીન રાઠોડ, વાસુકી મંદિર મહંત શ્રી રાજેન્દ્રગીરી બાપુ, લાયન્સ કલબ પ્રમુખ ધર્મવિરસિહં જાડેજા, યુવા ભાજપ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ વિજયભાઈ ભગત તથા શાળા સ્ટાફ, લાયન્સ કલબના સભ્યો, થાનગઢ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મહારક્તદાન શિબિર માં 180 બોટલો નું લોહીનું દાન કરવામાં આવ્યું. લાઈફ બ્લડ બેન્ક સેન્ટર રાજકોટ દ્વારા તબીબી સેવા આપવામાં આવી. થાનગઢ ના સર્વે સંસ્થાગણ, ધાર્મિક સંસ્થાઓ હાજર રહીને કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો.

રિપોર્ટ : જયેશભાઈ મોરી, થાનગઢ

Related posts

Leave a Comment