હિન્દ ન્યૂઝ, આણંદ
આજ રોજ આણંદ ગણેશ ચોકડી પર આવેલા સર્કલ પર ફરજ પર બજાવતા ટ્રાફિક જમાદાર સંજયકુમાર અમૃતભાઈ રાવ તથા એમના ટી.આર.પી. સ્ટાફ વગેરે ઓ વગર માસ્ક એ જોવા મળ્યા હતા. જાણે કે કોઈ પણ જાત ની બીક વગર અને ટ્રાફિક ના સ્ટાફ ને નિયમો નુ ભાન ભૂલ્યા હતા. અને ચાલુ ફરજ પર ગીચ વિસ્તાર અને પબ્લિક ની અવર જવર વાળા વિસ્તાર હોવા છતા સંજયકુમાર વગર માસ્ક એ ફરતા નજરે ખુલ્લેઆમ જોવા મળ્યા હતા. હવે જોવાનું એ રહયું કે પોલીસ પ્રશાસન એમના જ સ્ટાફ ને દંડ કરે છે કે કેમ ? કે ફક્ત આમ જનતા પર જ દંડ કરે છે ?
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ