આણંદ વિધાનસભા ના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર દ્વારા ખોખરપુરા વિસ્તાર મા પાણી ની ટાંકીનું ખાત મુહૂર્ત

હિન્દ ન્યૂઝ, નડિયાદ

           આજે આણંદ વિધાનસભા ના વાસખીલીયા ગામે ખોખરપુરા વિસ્તારમાં વીસ હજાર લીટર પાણી ની ટાંકી નું ખાતમુહર્ત ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે સરપંચ રણજીતસિંહ સોઢા ગ્રામ પંચાયત સભ્ય રમેશભાઈ ઠાકોર, પુર્વ સભ્ય ચીમનભાઈ વાધેલા, દિનેશભાઈ વાધેલા, શંકરભાઈ વાઘેલા, ગગજીભાઈ ભરવાડ, રામાભાઈ ભરવાડ, યોગીનભાઈ પટેલ તથા પુર્વ સભ્ય ઢોલાભાઈ તથા સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પાણી ની ટાંકી મંજૂર થતાં ધરે ધરે નળ થી પાણી સ્થાનિક રહીશો ને મળશે. જેથી સ્થાનિક રહીશો માં આનંદ ની લાગણી વ્યાપી જવા પામી હતી.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment