મહુવા શહેર ના અર્બન હેલ્થ સેન્ટર- 2 ખાતે “કોરોના વોરીયર્સ” આરોગ્ય કર્મચારીઓ નું સન્માન

હિન્દ ન્યૂઝ, મહુવા

તા.18, તાજેતર માં મહુવા શહેર ના અર્બન હેલ્થ સેન્ટર- 2 ખાતે “કોરોના વોરીયર્સ” આરોગ્ય કર્મચારીઓ નું સન્માન ગુજરાત ના લબ્ધપ્રતિષ્ઠિત કવિ શ્રી કરશનદાસ લુહાર , ગુજરાત કર્મચારી હિત રક્ષક મંડળ ના પ્રમુખ દિનેશરાજ રાવલિયા, મંગલમૂર્તિ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર ભરતભાઈ હડીયા, હોમ ગાર્ડ ઓફિસર કમાન્ડિગ હરિભાઈ વાઘ, મેડિકલ ઓફિસર ડો. દક્ષિતાબેન જોશી, શિશુભારતી સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર અને કવિ પિયુષભાઈ લુહાર નાં હસ્તે અને ‌ગુજરાત કર્મચારી હિત રક્ષક મંડળ ના પ્રમુખ દિનેશરાજ રાવલિયા દ્વારા સન્માન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે કરણભાઈ વાઘેલા, કમલેશભાઈ ચૌહાણ, નાવરબહેન વગેરે એ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : રાજકુમાર પરમાર, મહુવા

Related posts

Leave a Comment