હિન્દ ન્યૂઝ, કચ્છ
માંડવીનાં જોગીવાસ ખાતેના ખેતરપાળ દાદાના મંદિરમાંથી કોઈ તસ્કરો રૂ.20,000ની કિંમતની ચાંદીની 1 કિલો વજન ની મૂર્તિ ચોરી ગયા હતા. આ મંદિરની સેવા પૂજા કરતા પુજારીએ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ બપોરે 4:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા દરમિયાન બન્યાની વિગતો ફરિયાદ નોંધાવી છે. આ બનાવ બાબતે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર : શંકર મહેશ્વરી, કચ્છ