દિયોદર ધનકવાડા રેલવે ફાટક પર ટ્રેન ની અડફેટે આવતા યુવાન નું મોત

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર તાલુકા ના ધનકવાડા પાસે રેલવે ફાટક પર ટ્રેન ની અડફેટે આવતા હરિપુરા ગામ ના યુવાન નું મોત થતા ચકચાર મચી જવા પામી છે.

જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના હરિપુરા ગામે રહેતા દિપક ઠાકોર આજે ધનકવાડા રેલવે ફાટક ક્રોસિંગ કરી રહો હતો. તે સમય ટ્રેન ની અડફેટે આવતા દિપક ઠાકોર નું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. બનાવ ની જાણ રેલવે પોલીસ ને થતા રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી. જો કે એકાએક ટ્રેન ની અડફેટે આવતા યુવાન નું મોત થતા સમગ્ર પથક માં ભારે ચકચાર મચી જવા પામી છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment