રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકા મથક ખેડૂત જાગૃતિ કાર્યક્રમ ની ગોઠવણી કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, વિછીયા

તા.10-01-2021 ના રોજ રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકા મથક ખેડૂત જાગૃતિ કાર્યક્રમ ની ગોઠવણી કરવામાં આવી. જેમાં ખેડૂતોને વધારેમાં વધારે કઈ રીતે મદદરૂપ થવું તે હેતુ અર્થે અનેક ચર્ચા વિચારણા કરવામાં આવી. તેમાં હાલ અત્યારે ચાલી રહેલા ખેડૂત વિરોધી 3 કાળા કાયદા વિશે પણ ચર્ચા કરવામાં આવી. દિનપ્રતિદિન ખેડૂત આત્મહત્યા કરે ખેડૂત દેવાદાર બનતો જાય અનેક પ્રશ્નો ચર્ચા વિચારણા કરવામાં આવી.

જેમાં કિસાન કોંગ્રેસ ના પ્રમુખ પાલભાઇ આંબલિયા, વિનુભાઈ ધડુક, મહાદેવભાઇ વકીલ ભોળાભાઇ ગોહિલ, અવસર નાકિયા, વિપુલ ભાઈ બાવળીયા, મુકેશભાઈ રાજપરા, શૈલેષભાઇ પરમાર, અરવિંદભાઈ તલસાણીયા, સુરાભાઈ રાજપરા, ગોરધનભાઈ તાવિયા, જયંતીભાઈ ગોહિલ, ચતુરભાઈ રૂપાવટી, અમૃતભાઈ કોરડીયા વગેરે આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને વર્ષોથી કામગીરી કરતા ભારતીય કિસાન સંઘ ના હોદેદારો વિધિવત રીતે કિસાન કોંગ્રેસ સમિતિ માં સમર્થન કરેલું.

  જેમાં જયંતીભાઈ ગોહિલ, મુકેશભાઈ રાજપરા તેમજ અનેક સભ્યો કોંગ્રેસ કિસાન સમિતિમાં વિધિવત જોડાણા.

 

રિપોર્ટર : પ્રવિણ પ્રજાપતિ, વિછીયા

Related posts

Leave a Comment