આણંદ નગરપાલિકાના વોર્ડ નં ૧૩ ના કાઉન્સિલર તથા ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો એ નિયમોને મુક્યા નેવે

હિન્દ ન્યૂઝ, નડિયાદ

આણંદ શહેર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના વોર્ડ નં.૧૩ ની પેજ સમિતીની બેઠકનું આયોજન કર્યું‌ હતું. જેમાં યોગેશભાઈ પટેલ બાપજી (આણંદ જીલ્લા ઉપપ્રમુખ), ઇન્દ્રજીતભાઈ પટેલ (આણંદ શહેર ઇન્ચાર્જ), માયુરભાઈ પટેલ (આણંદ શહેર ભાજપ પ્રમુખ), યોગેશભાઈ ચાવડા (આણંદ શહેર ભાજપ ઉપપ્રમુખ) તથા માજી કાઉન્સીલર વોર્ડ નં.૧૩ ના સુમિત્રાબેન પઢીયાર, છાયાબા ઝાલા તથા વૉર્ડ નં.૧૩ ના પેજપ્રમુખ, સમિતીના સભ્યો તથા જયરાજભાઈ પટેલ, સમીર પટેલ, વિરેન્દ્ર પટેલ, નવીનચંદ્ર પટેલ (જીટોડીયા રોડ), રમણભાઈ સોલંકી (એકતા નગર), તારાબેન ચાવડા (મો.કુઈ), રમેશભાઈ હિમ્મતભાઈ ચાવડા તમામ હોદેદારો એ મા. મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી ના નિયમોને નેવે મૂકી ખુલે આમ કર્યા નિયમોનો ભંગ. શું સોશિયલ ડિસ્ટન્સ રાખવું તથા માસ્ક પહેરવા ફક્ત જનતાને જ નિયમ છે કે પછી ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો ને છુટ છે. આ બાબતે આણંદ જિલ્લાના એસ.પી.તથા કલેકટર શું પગલાં ભરશે એ જોવું રહ્યું.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment