થરાદ તાલુકાના લોઢનોર ગામે કરીયાણાની દુકાનમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ

હિન્દ ન્યુઝ, થરાદ

ચોરી થવાના બનાવોએ ફરી પાછો વેગ પકડ્યો હોઈ શહેર બાદ હવે ગામડાના વિસ્તારમાં ચોરી થયાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે થરાદ તાલુકાના લોઢનોર ગામે ગત તારીખ ૪/૧/૨૦૨૧ ને સોમવારની રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ કુળદેવી કરીયાણા સ્ટોર નામની દુકાનને નિશાન બનાવી તરખાટ મચાવ્યો હતો. જોકે ચોરી થયાનું માલૂમ પડતા આ અંગે દુકાનદાર વશરામભાઈ નાનજીભાઈ પટેલ રહેણાંક લોઢનોર, તાલુકો- થરાદવાળાએ તારીખ ૫/૧/૨૦૨૧ ના રોજ ચોરી થયા અંગેની ફરિયાદ થરાદ પોલીસ મથકે નોંધાવતાં જણાવ્યુ હતું કે કોઈ અજાણ્યા શખ્સોએ પતરા તોડી રૂપિયા ૩૨૦૦૦/- રોકડા, વિમલ, જાફરી, ટેલીફોન બીડી, ચા પતી એમ મળી કુલ કિંમત રૂપિયા ૬૦ થી ૬૫ હજારની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ચોરોનો પગપેસારો થતાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના દુકાનદારોમાં ફફડાટ પ્રસરી ગયો હોઈ, પોલીસ તસ્કરો સુધી પહોંચી ચોરીના બનાવોને અંજામ આપે એજ હિતાવહ છે.

રિપોર્ટર : ભરત રાજપુત, લાખણી

Related posts

Leave a Comment