આયોધ્યા માં રામ મંદિર નિર્માણ માટે સુઈગામ ખાતે મિટિંગ કરવામાં આવી હતી

હિન્દ ન્યુઝ, ભાભર

                                   ભગવાન રામ ની જન્મ ભૂમિ આયોધ્યા માં ભવ્ય રામ મંદિર ના નિર્માણ માટે તમામ બનાસકાંઠા જિલ્લામાં હિન્દુ સમર્પણ નિધિ માટે અલગ અલગ હિન્દુ ટ્રસ્ટો દ્વારા મિટિંગો કરવામાં આવી રહી છે. જેમાં આજ રોજ સરહદી વિસ્તાર એવા સુઇગામ ખાતે શ્રી રામ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા બેઠક યોજાઈ હતી. જેમાં રામ મંદિર નિર્માણ માટે યથા શક્તિ દાન આપવા માટે ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં સુઇગામ તાલુકાના અલગ અલગ ગામોનો લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment