પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત ઓછી તથા મધ્યમ આવક ધરાવતા વર્ગનાં લોકો માટે આવાસ યોજના

હિન્દ ન્યૂઝ, રાજકોટ 

                                તા. ૩૧-૧૨-૨૦૨૦, પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા નિર્માણાધિન આવાસો પૈકી EWS-૧ પ્રકારના ૧૨૨ આવાસો, EWS-૨ પ્રકારના ૩૦૩ આવાસો, LIG પ્રકારના ૧૦૨ આવાસો તથા MIG પ્રકારના ૧૬૧ આવાસો મળી કુલ ૬૮૮ આવાસો જુદા જુદા ૭ સ્થળોએ ખાલી રહે છે. આ ખાલી આવાસો ફાળવવા માટે ફોર્મ વિતરણની પ્રક્રિયા કોટક મહિન્દ્રા બેંકની (૧૦ શાખા), ICICI બેંક (૧૩ શાખા) તથા HDFC બેંક (૧૫ શાખા) આમ ત્રણે બેંકોની રાજકોટ શહેરની ૩૮ શાખાઓ તથા રૂડા કચેરીએથી આમ કુલ ૩૯ સ્થળથી તારીખ ૦૧/૦૧/૨૦૨૧ થી ૧૬/૦૧/૨૦૨૧ દરમિયાન આયોજિત કરેલ છે.

                                કેટેગરી વાઈઝ લાયકાત ધરાવતા ઇસમો આ આવાસો મેળવવા માટે ઉપરોક્ત નિયત બેંકમાંથી રૂ. ૧૦૦/-ની ફોર્મ ફી (નોન રીફંડેબલ) ચુકવી નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી શકશે. અરજદારે નિયત આધારો તથા વિગતો સાથે ભરેલ ફોર્મ તા. ૧૬/૦૧/૨૦૨૧ સુધીમાં ફોર્મમાં દર્શાવેલ બેંકની નિયત શાખાઓમાં રજુ કરવાનું રહેશે તથા ફોર્મની સાથે ભરવાની ડીપોઝીટની રકમ જમા કરાવવાની રહેશે. આ મુદ્દત વિત્યા બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

                                 આવેલ અરજીઓ પૈકી ફોર્મ તપાસ બાદ માન્ય રહેલ ફોર્મ માટે સાઈટ તથા આવાસની ફાળવણી ફક્ત કોમ્પ્યુટરાઈઝડ ડ્રોથી કરવામાં આવશે. ડ્રો બાદ ફાળવેલ આવાસ કે સાઈટ બદલવા અંગેની માંગણી ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ. રૂડા દ્વારા નિર્માણ થનાર આવાસ યોજના અંગે વધુ વિગત નીચે મુજબ છે.

                                  વધુમાં લોકોની સરળતા માટે શરુ કરાયેલ ઓનલાઇન ફોર્મ ભરવાની વ્યવસ્થા ચાલુ છે જે અનુસાર ઓનલાઇન ફોર્મ ભરવા માટે રૂડા કચેરીની વેબસાઇટ www.rajkotuda.com, www.rajkotuda.co.in પરથી તા. ૦૧/૦૧/૨૦૨૧ (૦.૦૦ કલાકથી) થી તા. ૧૬/૦૧/૨૦૨૧ (૨૩.૫૯ કલાક) સુધી ફોર્મ ભરી શકાશે. લાભાર્થીને કોઈ પણ પ્રકારની મુંજવણ હોય તે અંગે રૂડા કચેરીના ફોન નં ૦૨૮૧૨૪૪૦૮૧૦ / ૯૯૦૯૯૯૨૬૧૨ પર સંપર્ક કરવા રૂડા કચેરીની યાદીમાં જણાવેલ છે.

 

Related posts

Leave a Comment