દેવભૂમિ દ્રારકા જીલ્લા ના કલ્યાણપુર તાલુકા મા પત્રકારો તથા અધિકારીઓ નુ સન્માન કરાયુ

હિન્દ ન્યૂઝ, જામખંભાળીયા

                                    જામ કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામના વાડી વિસ્તારના ખેડૂતોનો 20 વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલાતા ખેડૂતોએ અધિકારીઓ તથા મીડિયાનો માન્યો આભાર. ખેડુતો ને ખેતરે જવાના માર્ગ મામલે 20 વર્ષથી હેરાન થતા ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. 20 વર્ષથી ખેતરે જવાના માર્ગ માટે પરેશાન ખેડૂતોની વ્યથા મીડિયાએ ઉજાગર કરી, તંત્રએ કરી કામગીરી. તંત્રના અધિકારીઓ દ્વારા 20 વર્ષ જુના માર્ગના પ્રશ્નનું નિરાકરણ લાવી આપ્યું.

ગોરાણા વરાળ વિસ્તારમાં રહેતા ખેડૂતોએ અધિકારીઓ તેમજ મીડિયા કર્મીઓનો આભાર માની પત્રકારો મુકેશ મોકરીયા, જય ગૌસ્વામી, ધર્મેશ ઉપાદયાય, ગોવીંદભાઇ, દેશુર ધામા, સાજણ ગઢવી સહીત ના મીડિયાકર્મી ને ખેડૂતોએ સન્માન આપી મિડીયાકર્મી ની કામગીરીને બિરદાવા મા આવી હતી.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામખંભાળીયા

Related posts

Leave a Comment