રહસ્ય અંક બંધ એક મહિના પહેલા ગુમ થયેલ યુવક નો મૃતદેહ મળ્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર

                                                     દિયોદર તાલુકા ના વખા ગામે એક મહિના પહેલા ગુમ થયેલ યુવક ની લાશ મેસરા નર્મદા કેનાલ માંથી મળતા સમગ્ર પથક માં ભારે ચકચાર મચી જવા પામી છે. જે અંગે પોલીસે કેનાલ માંથી લાશ ને બહાર કાઢી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પી એમ અર્થ મોકલી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

                                                      જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના વખા ગામે રહેતો સંજય ઉર્ફ હકાજી કેસાજી ઠાકોર એક મહિના પહેલા શોષક્રિયા જવાનું કહી ઘરે થી નીકળી ગયો હતો. જેમાં મોડા સમય સુધી પરત ન ફરતા પરિવારજનો ચિંતા માં મુકાયા હતા અને ભારે શોધખોળ કર્યા બાદ પણ કોઈ ભાળ ન મળતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. જો કે એક મહિના બાદ સંજય ઉર્ફ હકાજી ઠાકોર નો મૃતદેહ મેસરા નર્મદા કેનાલ માંથી મળતા ચકચાર મચી જવા પામી હતી. બનાવ ની જાણ પરિવાર અને પોલીસ ને થતા ઘટના સ્થળ પર દોડી જઇ તરવૈયા ની મદદ લઇ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જેમાં આજે અમદાવાદ ખાતે મૃતક ની લાશ ને પી એમ અર્થ મુકલી દેવામાં આવી હતી. જો કે એકાએક ગુમ થયેલ યુવક ની લાશ કેનાલ માંથી મળતા ઘટના નું રહસ્ય અંક બંધ હોવાનું દેખાઈ રહું છે. જેમાં આ યુવક એ કેનાલ માં ઝપલાવી આપઘાત કર્યો છે કે અન્ય કારણ છે જે દિશા માં પોલીસે તપાસ નો દોર શરૂ કર્યો છે.

“નાગણેશ્વર તળાવ તરફ જઈ યુવક ગુમ થયો હતો”

                                                          તારીખ 27/10/2020 ના રોજ બપોર ના સમય ઘરે થી શોષક્રિયા કરવા જવાનું કહી ઘરે થી નીકળ્યો હતો. જેમાં નાગણેશ્વર તળાવ તરફ ગયો હતો. ત્યાં થી આ યુવક ગુમ થયો હતો. જેમાં પરિવારજનો દ્વારા પણ ભારે શોધખોળ કરાઈ હતી પરંતુ કોઈ પતો લાગ્યો ન હતો. જેનો મૃતદેહ કેનાલ માંથી મળ્યો હતો.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment