વાત્સલ્ય કન્સેપ્ટ વખા ખાતે ભારત વિકાસ પરિષદ દિયોદર દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર

                                         દિયોદર માં સેવાભાવિ સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે વાત્સલ્ય કન્સેપ્ટ વખા ખાતે ભારત વિકાસ પરિષદ દિયોદર દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જયેશભાઈ પટેલ (પ્રમુખ ભારત વિકાસ પરિષદ, ગુજરાત ઉતર પ્રાંત), કમલભાઈ ચંદારાણા (ઉપપ્રમુખ, ભારત વિકાસ પરિષદ, ગુજરાત ઉત્તર પ્રાંત), અશ્વિનભાઈ જોષી (કારોબારી સભ્ય, ભારત વિકાસ પરિષદ, ગુજરાત ઉત્તર પ્રાંત), ગિરિરાજસિંહજી વાઘેલા (સરપંચ, ગ્રામ પંચાયત, દીઓદર), અમરતજી (સરપંચ, ગ્રામ પંચાયત, વખા), પરાગભાઈ જોષી (મંત્રી, બનાસકાંઠા જિલ્લા ભાજપ), જામાંભાઈ પટેલ (ભારત વિકાસ પરિષદ પ્રમુખ દિયોદર શાખા), મુકેશજી ઠાકોર, ઠાકરશીભાઈ ઠકકર, ભરતભાઈ અખાણી, સી.કે. શાહ, એ. ટી. જોશી, મહેન્દ્રભાઈ ગજ્જર, દીપેશભાઈ સેવક, નાગજીભાઈ દેસાઈ, કેતનભાઈ શાહ, શૈલેષભાઈ ઠક્કર, શીતલ ભાઈ ત્રિવેદી, ભાવનાબેન પટેલ સહિત ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમ માં શરૂઆત માં પધારેલ મહેમાનો નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ધોરણ-10 અને 12 માં પાસ થયેલા વિદ્યાર્થીઓને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને સમૂહ ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને છેલ્લે ગરબા નું આયોજન સોસીયલ ડિસ્ટન સાથે રાખવામાં આવ્યું હતું .

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment