દિયોદર ગ્રામ પંચાયત માં ફરજ બજાવતા અમરતલાલ ત્રિવેદી નું દુઃખદ અવસાન

 

 

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર ગ્રામ પંચાયત કચેરી માં છેલ્લા 14 વર્ષ થી વેવસ્થા વેરા અધિકારી તરીકે ફરજ બજાવતા અમરતલાલ ત્રિવેદી નું એકાએક દુઃખદ અવસાન થયું છે. ગ્રામ પંચાયત કચેરી માં હંમેશા સારું માર્ગદર્શન આપતા અને સાચા સેવક એ વી ત્રિવેદી ચીર વિદાય લેતા ગ્રામ પંચાયત કચેરી એ એક સાચા સેવક ગુમાવ્યા હતા. જે અંગે ગ્રામ પંચાયત ના સરપંચ અને રાજવી ગિરિરાજસિંહ વાઘેલા એ સોસીયલ મીડિયા ના માધ્યમ થી શ્રદ્ધાંજલી પાઠવી હતી અને આજરોજ ગ્રામ પંચાયત કચેરી નું કાર્ય બંધ રાખવા અનુરોધ કર્યો હતો. એ.વી.ત્રિવેદી મૂળ કાંકરેજ તાલુકા ના વતની છે અને છેલ્લા 14 વર્ષ થી દિયોદર ગ્રામ પંચાયત માં સેવા આપતા હતા જેમાં તેમની ચીર વિદાય થી ગ્રામ પંચાયતે એક સાચા સેવક ગુમાવ્યા છે જેમાં આજે દિયોદર નગરજનો દ્વારા પણ સોસીયલ મીડિયા ના માધ્યમ થી શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment