રાજકોટ થી મુંબઈ વચ્ચે દરરોજ ફ્લાઈટની સેવા પૂરી પાડવાનો સ્પાઇસ જેટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૨૨/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ થી મુંબઇ વચ્ચે હાલ સુધી અઠવાડિયામાં ૩ ફ્લાઇટ સ્પાઇસ જેટ દ્વારા ચલાવવામાં આવતી હતી. પરંતુ મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાતા સ્પાઇસ જેટ દ્વારા આગામી તા.૨૫ ઓક્ટોબરથી દરરોજ ફ્લાઇટ ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે દરરોજ સવારે ૮ વાગ્યે રાજકોટ થી મુંબઈ વચ્ચે ફ્લાઇટ ચાલુ થશે. જેના કારણે મુસાફરોને ઘણી સરળતા રહેશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment