થરાદ,
સમગ્ર દેશ અત્યારે કોરોના વાયરસ નામની બીમારી એ હાહાકાર મચાવ્યા છે ત્યારે વાત કરવામાં આવે બનાસકાંઠા ના થરાદ તાલુકાના મહાદેવપૂરા ગામની તો થરાદ તાલુકા નું પહેલું એવું ગામડું છે કે જ્યાં ગામના લોકો એ બહાર થી આવતા જતા લોકો ઉપર પતિબંધ મૂકી દીધો છે. ‘હિન્દ ન્યૂઝ’ દ્વારા આ ગામની ખાસ મુલાકાત લીધી અને ત્યાંના લોકો પાસે થી માહિતી મેળવી હતી. ગામના કાર્યકરો એ જણાવ્યું હતું કે બહારથી કોઈપણ વ્યક્તિ અમારા ગામની અંદર આવવા દેતા નથી અને કોઈ ખાસ કામ હોય તો જે પણ વ્યક્તિ ત્યાં આવે છે તેમનું નોટ બુક ની અંદર રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને મોબાઈલ નંબર નોંધણી કરવામાં આવે છે. પછી જ ગામમાં જવા દેવામાં આવે છે. ગામના લોકો દ્વારા ગામમાં અવરજવર કરતા લોકો ઉપર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે
રિપોર્ટર : મોહનભાઇ સુથાર
હિન્દ ન્યુઝ દ્વારા થરાદ તાલુકાની ખાસ મુલાકાત