સુરત ખાતે ‘રત્ન કલાકાર વિકાસ સંઘ’ ની નવા હોદ્દેદારોની વરણી

હિન્દ ન્યૂઝ, સુરત

           તા. 20-09-2020 નાં રોજ ‘રત્ન કલાકાર વિકાસ સંઘ’ ની કારોબારી મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં રત્ન કલાકાર ના સ્વ. પ્રમુખ જયસુખભાઇ ગજેરા ને શ્રધ્ધાંજલી પાઠવી ને મિટિંગની આગળની કાર્યવાહી કરવામાં આવી. જેમાં ‘રત્ન કલાકાર વિકાસ સંઘ’ ના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી. જેમાં બાલૂભાઈ પી. વેકરીયા (પ્રમુખ), આશિષભાઈ પટેલ (ઉપપ્રમુખ), રમેશભાઈ જે. ગોયાણી (મંત્રી), ભરતભાઈ એન. વોરા (સહમંત્રી), મનસુખભાઈ પી. ડોબરીયા (ખજાનચી), કનુભાઈ એસ. ગજેરા (સહ ખજાનચી), દલસુખભાઈ પી. ટિંબડીયા (કો.ઓડિનેટર) તરીકે નિમણુંક કરવામાં આવી.

વધુમાં કોરણી મહામારીને ધ્યાન માં રાખી સૌ નવનિયુક્ત પદાધિકારીઓ એ હેન્ડ સેનેટરાઈઝ કરી, મોંઢા પર ફરજીયાત પણે માસ્ક પેહરીને તેમજ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરી કાર્યક્રમ કરવામાં આવ્યું.

રિપોર્ટર : હિના ભટ્ટ , સુરત

Related posts

Leave a Comment