નર્મદા જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૧ સહિત કુલ ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા

હિન્દ ન્યૂઝ, નર્મદા,

રાજપીપલા ખાતે COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૧ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૧ સહિત કુલ-૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૫૦૭ એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૨૯ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૩૬ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૮૭૨ નોંધાવા પામી છે. રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૭ દરદીઅો અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૬ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૧૯ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૩૯૩ દરદીઓ સહિત કુલ-૮૧૨ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, સુરત ખાતે ૧, વડોદરા ખાતે ૨ દરદીઓ અને હોમ આઇસોલેશનમા ૧૫ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૧૬ દરદીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે ૨૬ દરદીઓ સહિત કુલ-૬૦ દરદીઓ સારવાર હેઠળ છે. આજે RTPCR ટેસ્ટમાં ૨૮,ટ્રુ નેટ (True nat) ટેસ્ટના ૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૪૫૭ સહિત કુલ-૪૮૬ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે. પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૧ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૩,૨૧૫ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૨૧ દરદીઓ, તાવના ૨૧ દરદીઓ, ઝાડાના ૩૬ દરદીઓ સહિત કુલ-૭૮ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૬૮,૬૮૩ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૭,૫૪,૨૪૧ લોકોને વિતરણ કરાઇ છે.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા

Related posts

Leave a Comment