દિયોદર ના જોશીડાવાસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, દિયોદર

દિયોદર તાલુકા ના રાટીલા જિલ્લા પંચાયત ની સીટ પર આજરોજ જોશીડાવાસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ વૃક્ષો વાવી આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત ના સદસ્ય હસમુખભાઈ પટેલ, સીટ ના ઇન્ચાર્જ ઈશ્વરભાઈ પટેલ, શક્તિ પીઠ પ્રમુખ બાબુભાઇ માળી તથા મૂળરાજસિંહ વાઘેલા વગેરે ભાજપ ના કાર્યકરો મોટી સંખ્યા માં હાજર રહા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment