ખંભાળીયા શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણ કરી સેવા સપ્તાહ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, ખંભાળીયા

ગુજરાત ના પનોતા પુત્ર ને દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના 70માં જન્મદિવસ (17 સપ્ટેમ્બર) ને ભારતીય જનતા પાર્ટી દ્વારા “સેવા સપ્તાહ” તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા પ્રેમ પરિવાર સકીર્તન મંદિર ખાતે 70 વૃક્ષો વાવી સેવા સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, મહામંત્રી જીજ્ઞેશભાઈ પરમાર, કાર્યક્રમ ઇન્ચાર્જ હસુભાઈ ધોળકિયા, મયુરભાઈ ધોરીયા, ભીખુભા જેઠવા, જયેશ કણજારીયા, ઇલાબેન ભટ્ટ, વનરાજસિંહ વાઢેર, નીરવ કવયા, સકીર્તન મંદિર ના હરિભાઈ જોશી અને ચાવડા ભાઈ વગેર આગેવાન તેમજ કાર્યકરો જોડાયા હતા.

રિપોર્ટર : નરેન્દ્રસિંહ જાડેજા, દેવભૂમિ દ્વારકા

Related posts

Leave a Comment