ડભોઇ ખાતે રીયાવાલા આયુર્વેદિક હોસ્પિટલમાં વડોદરા જિલ્લા યુવા મોરચાના અને ઇન્દુ બ્લડ બેંક ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ડભોઈ

ડભોઈ દર્ભાવતિ નગરી માં વિકાસપુરુષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦માં જન્મદિવસ નિમિત્તે તારીખ ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન ‘સેવા સપ્તાહ’ અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યો કરશે. જેમાં ‘સેવા એ જ ધર્મ’ ના ઉદ્દેશ્ય સાથે વડોદરા જિલ્લા યુવા મોરચા દ્વારા આયોજિત ડભોઇના રીયાવાલા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે વડોદરા જિલ્લા યુવા મોરચાના અને ઇન્દુ બ્લડ બેંક ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ડભોઇ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 70 રક્ત દાતા યુવા મોરચાના કાર્યકરોએ બ્લડ ડોનેશન નું દાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે લોહી કોઈ ફેક્ટરીમાં નથી બનતું પણ એ માનવીના શરીરમાં જ એની ફેક્ટરી હોય આ મહાદાન કરવાથી માનવીની જિંદગી બચાવી શકાય છે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મદિન નિમિત્તે ૭૦ જેટલા યુવા કાર્યકરોએ બ્લડ ડોનેશન કર્યું તે ખરેખર અભિનંદનને પાત્ર છે. આ પ્રસંગે ડભોઇ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર સંદિપભાઈ શાહ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ મહામંત્રી અમિત સોલંકી નગરપાલિકા પ્રમુખ અનસોયા બેન વસાવા કારોબારી ચેરમેન મુકેશ ભાઈ શાહ સોનલબેન સોલંકી કાઉન્સિલર એચ.વી.શાહ, તેજસબેન સોની તેમજ વડોદરા જિલ્લા ડભોઇ શહેર તાલુકા, ભાજપ યુવા મોરચાના અગ્રણી હોદેદારો અને કર્મનિષ્ઠ યુવા કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા.

રિપોર્ટર : હુસેન મનસુરી, ડભોઈ

Related posts

Leave a Comment