ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા લોકોને ઘર આંગણે સુધી આરોગ્યલક્ષી સારવારનો લાભ

વેરાવળ,

તા. -૦૪, રાજ્ય સરકાર દ્વારા ૧૫ મી – મે થી શરૂ કરવામાં આવેલા ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા રાજ્યનાં કોવીડ-૧૯ ઈફેક્ટીવ કન્ટેન્ટમેન્ટ ઝોન અને આજુબાજુ વસવાટ કરતાં નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર અપાઇ રહી છે. ધન્વંતરી આરોગ્યરથ અભિયાન દરમિયાન તાવ, ઉધરસ, શરદી જેવી નાની-મોટી બીમારી માટે ઓ.પી.ડી તેમજ ડાયાબિટીસ અને બ્લડપ્રેસર ચેક કરવામાં આવે છે અને જરૂરતમંદોને દવાઓ પણ વિનામૂલ્યે રથના માધ્યમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આ રથમાં ઓ.પી.ડી. માટે ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, આયુર્વેદ તબીબ સહિત અન્ય કર્મચારીઓ પણ સેવાઓ પૂરી પાડી રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે વેરાવળ શહેર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ ધનવંતરી આરોગ્ય રથ શરૂ કરી લોકોને ઘર આંગણે આરોગ્યની તપાસ કરી સારવાર આપવામાં આવી રહી છે.

વેરાવળની મહિલા કોલેજ નજીક ગીતા નગરમાં રહેતા ૪૭ વર્ષીય જીતેન્દ્રભાઈએ ધન્વંતરી આરોગ્ય રથ નો લાભ લઇ જણાવ્યું હતું કે, ‘હું મહિલા કોલેજ નજીકથી નીકળતા જ આરોગ્ય રથના તબીબો દ્વારા મારા શરીરનું તાપમાન અને ઓક્સિજન માપી આરોગ્યની તપાસ કરી હતી અને ત્યારબાદ જરૂરી સામાન્ય દવા પણ આપી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના વાયરસના મહામારીના સમયમાં પણ સરકારે આરોગ્યલક્ષી રથ શરૂ કરી ખૂબ સારૂ કાર્ય કર્યું છે.’ જીતેન્દ્રભાઇ સાથે વેરાવળ શહેરનાં નાગરિકો જ્યારે ધન્વંતરી રથ આંગણે આવ્યાની ભાળ મળતા ઘરનાં સભ્યોની આરોગ્ય તપાસણી અર્થેઆવી પહોંચતા લોકો વચ્ચે વાતચિતનો સુર કઇંક એવો રહ્યો કે રાજ્ય સરકાર દ્વારા કોવિડ-૧૯નાં સંક્રમણને નિવારવા આરોગ્ય સંભાળ સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સામાન્ય રીતે ચોમાસામાં વરસાદી નવા નિર અને બદલાતા ભેજયુક્ત તાપમાનમાં ફેરફાર થવાથી લોકોમાં શરદી-તાવ અને વાયરલ ફીવરની સામાન્ય તકલીફો જોવા મળતી હોય છે. આવા સમયે નગરનાં નગરજનોની આરોગ્ય તપાસ અને ઔષધિ પણ આપી. ખરા અર્થમાં સરકાર પ્રજાનાં દ્વારે આવી સારવાર કરી રહ્યા છે. સંભાળ સેવાઓ આપતી મોબાઇલ વાન વેરાવળ શહેર અને ગામડાઓનાં વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને તેમનાં ઘરઆંગણે સેવા ઓ પુરી પાડે છે. સાથે સાથે રક્તચાપ, મધુપ્રમેહ, હ્રદય સંબંધી બિમારી વગેરેની પણ પ્રાથમિક સારવાર અને નિદાન રથના માધ્યમથી મળતી સેવા છેવાડાનાં લોકોની આરોગ્ય સુખાકારીમાં લાભપ્રદ બની રહેલ છે. કોરોનાં વોરીયર્સ એવા તબીબો અને પેરામેડીકલનાં સેવાકર્મીઓ, આમ સમાજનાં બહેનો અને ભાઇઓ, બાળકોની આરોગ્ય તપાસ કરી સારવાર આપી રહ્યા છે. જીતેન્દ્રભાઇએ વાતને આગળ રજુ કરતા કહ્યુ કે ખરા સમયમાં સરકાર આગળ આવી લોકોના આરોગ્યની ચિંતા કરી છે. આરોગ્ય રથના કર્મચારીઓ હવે લોકોને ઘર આંગણાં સુધી પહોંચી આરોગ્યની તપાસ કરવા દર્દી સુધી પહોંચે છે. તે સરકાર નું સરાહનીય કાર્ય છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચેતન મહેતાએ કહ્યુ હતુ કે સાંપ્રત સમયમાં કોરોનાં વાયરસથી સાવધ રહેવા અને શારીરિક વ્યાધીઓનાં નિદાન સારવાર માટે વધુમાં વધુ લોકોએ આરોગ્ય રથ નો લાભ લઇ તેમનું તંદુરસ્ત આરોગ્ય રાખવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ગીરગઢડા, તાલાલા અને ઉના સહિત છ તાલુકામાં આરોગ્ય શાખા દ્વારા આરોગ્ય રથનું પરિભ્રમણ કરવામાં આવી રહ્યું છે. જેના માધ્યમથી દરરોજ બહોળી સંખ્યામાં લોકોના આરોગ્યની તપાસ કરી સારવાર કરવામાં આવી રહી છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment