હિન્દ ન્યુઝ, ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ રાજ્યની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સતત સંપર્કમાં: મંત્રી જીતુભાઈ વાઘાણી
નાગરિકોને સાવચેતી રાખીને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ: મંત્રી જીતુભાઈ વાઘાણી
રાહત કમિશનર ગૌરાંગ મકવાણા:
➡️ કેન્દ્ર સરકાર તરફથી મળેલી NDRFની વધારાની 2 ટીમ વલસાડ, 1 નવસારી અને 1 સુરત ખાતે મોકલાઈ
➡️ વલસાડમાં 12 હજાર અને નવસારીમાં 10 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
➡️ વલસાડમાં 200 અને નવસારીમાં 50થી વધુ નાગરિકોને રેસ્ક્યુ કરાયા
➡️ GSDMA હસ્તકની 25 બોટ્સ વલસાડ મોકલાઈ
