પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર

હિન્દ ન્યુઝ, ભાવનગર

   ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરાયા.

     હવેથી PM કિસાન યોજના હેઠળ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા લાભાર્થી ખેડૂત મિત્રોએ દર વર્ષે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક e-KYC ફરજીયાતપણે કરાવવાનું રહેશે.

     આ યોજના હેઠળ સહાય માત્ર એવા જ લાભાર્થીઓને મળશે જેમણે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા e-KYC પૂર્ણ કરેલું હશે.

      ગુજરાતના લાભાર્થી ખેડૂતોને આગામી તા. 30 જૂન, 2026 સુધીમાં e-KYC કરાવી લેવા ખેતી નિયામકની કચેરીનો અનુરોધ

     લાભાર્થીઓ ફેસ ઓથેન્ટિકેશન, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન, PM કિસાન મોબાઈલ એપ (સ્વયં) પૈકી કોઇપણ રીતે સરળતાથી e-KYC કરી શકશે.

Related posts

Leave a Comment