હિન્દ ન્યુઝ, બનાસકાંઠા
મહેસૂલી ઈતિહાસમાં પ્રથમવાર: ગૌચરના તળાવોને ‘કુદરતી તળાવ’ જાહેર કરીને ખેડૂતોની વ્હારે આવતી રાજ્ય સરકાર
મહેસૂલ વિભાગના સહયોગથી તમામ ૧૨૬ તળાવોને ‘નીમ’ થયેલા તરીકે નોંધવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે : પાલનપુર પ્રાંત અધિકારી કે.પી.ચૌધરી
વડગામના ૭૩ અને પાલનપુરના ૫૩ તળાવો હવે સરકારી રેકર્ડમાં કુદરતી તળાવ તરીકે નોંધાતા પાઈપલાઈન પ્રોજેક્ટ થકી ખેડૂતોને નર્મદાનું પાણી મળી રહેશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ષો જૂના મહેસૂલી પ્રશ્નનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે: સરકારનો આભાર વ્યક્ત કરતા સરપંચ કામરાજભાઈ ચૌધરી
