હિન્દ ન્યુઝ, ગાંધીનગર
પરીક્ષા પે ચર્ચા: પરીક્ષાને તણાવ તરીકે નહીં પરંતુ અવસર તરીકે સ્વીકારવાની દિશામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને માર્ગદર્શન આપતી પહેલ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમના નવમા સંસ્કરણનું જીવંત પ્રસારણ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સહિતના મહાનુભાવો સાથે ગાંધીનગરના સુઘડ ખાતેની આનંદ નિકેતન શાળામાં સહભાગી થઈ નિહાળ્યું.
પરીક્ષાના સ્ટ્રેસથી બાળકોને મુક્ત રાખવા શરૂ કરાવેલો પરીક્ષા પે ચર્ચાનો આ નવતર અભિગમ હવે બાળકો માટે મોટીવેશનલ પ્રોગ્રામ બની ગયો છે: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
મુખ્યમંત્રીએ ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા આપનારા બાળકોને સફળતાની શુભેચ્છાઓ પાઠવતાં કહ્યુ કે, પરીક્ષા એ જીવનની કસોટી નથી, પણ આપણી મહેનતનું પ્રતિબિંબ છે અને સ્ટ્રેસને સક્સેસમાં બદલવાનું પ્લેટફોર્મ છે.
