ગીર-સોમનાથ
ગીર-સોમનાથ જિલ્લામાં ફોટોવાળી મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠનકરવા અર્થે ગીર-સોમનાથ જિલ્લાના ૯૦-સોમનાથ, ૯૧-તાલાળા, ૯૨-કોડીનાર(અ.જા.) અને ૯૩-ઉના વિધાનસભા મતવિભાગના ચુંટણી અધિકારીઓ તરફથી જિલ્લા ચૂંટણી અધિકારી, ગીર-સોમનાથને પ્રાથમિક દરખાસ્ત મોકલી આપવામાં આવેલ હોય, રજુ થયેલ મતદાન મથક પુનર્ગઠન પ્રાથમિક દરખાસ્ત અન્વયે જિલ્લાના નિયત સ્થળોએ પ્રાથમિક પ્રસિધ્ધી કરવામાં આવેલ છે. મતદાન મથક અંગેના વાંધા સલાહ, સુચનો તા. ૨૮-૦૮-૨૦૨૧ સુધી ધ્યાને લેવામાં આવશે. તેમ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.