સ્વ. રાજીવ ગાંધી ની 76 મી જન્મજયંતિ નિમિતે વેરાવળ ખાતે ઉજવણી….

ગીર સોમનાથ,

તા 20-8-2020,  ગીર સોમનાથ જીલ્લા મહીલા કોગ્રેસ દ્રારા સ્વ. રાજીવ ગાંધી ની જન્મજયંતિ નિમિતે કોરોના વોરીયસઁ ના સન્માન સમારોહ નો કાયઁ ક્રમ પ્રદેશ મહીલા કોગ્રેસ પ્રમુખ ની ઉપસ્થિતી મા યોજાયો હતો.

દેશના પૂવઁ વડાપ્રધાન અને ટેકલોજીમા ક્રાંતી લાવનાર સ્વ. રાજીવ ગાંધી ની 76 મી જન્મજયંતિ નિમિતે ગીર સોમનાથ જીલ્લા મહીલા કોગ્રેસ પ્રમુખ સંગીતાબેન ચાંડપા દ્રારા ગુજરાત પ્રદેશ મહીલા કોગ્રેસ પ્રમુખ ગાયત્રી બા ઝાલા દ્રારા કોરોનાની મહામારી વચ્ચે પોતાની ફરજ બજાવતા પંચાયતી રાજ મા ચુંટાયેલા મહીલાઓ, તબીબો , નગરસેવીકાઓ, પત્રકારો નુ સન્માન કરાયુ હતું .આ તકે યુથ કોગેસ ના પ્રમુખ અભય જોટવા, શહેર કોગ્રેસ પ્રમુખ દિનેશ રાયઠઠા, મહીલા કોગ્રેસ પ્રમુખ દેવીબેન સહીત બહોળી સંખ્યામાં મહીલાઓ સોશ્યલ ડીસ્ટન્સ ના પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા . જેમા આવનારી તમામ પંચાયતી ચુંટણીઓ મા સંગઠન વધુ મજબૂત બને તેવા હેતુથી મહીલા કોગ્રેસ ને આહવાન કરાયુ હતુ .

આ તકે ભાજપના વતઁમાન સરકાર પર આકરા પ્રહારો કરાયા હતા અને ભાજપના રાજમા સરકારી તંત્ર ભાજપ ના કાર્યકરો બનીને કામ કરી રહ્યા છે તેવા આક્ષેપ ગાયત્રી બા ઝાલા દ્રારા કરાયા હતા. તેમજ નેશનલ હાઇવે ના રોડ રસ્તાના ભ્રષ્ટાચાર સહીત ના આક્ષેપ કરાયા હતા.  ગીર સોમનાથ જીલ્લા મા આજરોજ સ્વ રાજીવ ગાંધી ની જન્મજયંતિ નિમિતે કોરોના વોરીયસઁ ના સન્માન સમારોહ નો કાયઁક્રમ રાખવામા આવેલ હતો . આ તકે ભાજપ પર આકરા પ્રહારો કરતા ગાયત્રી બા એ જણાવેલ કે આજે અમો એ નાનો કાયઁક્રમ સોશ્યલ ડીસ્ટન્સ રાખી કરવા માટે તંત્ર પાસે મંજૂરી માંગી હતી તે અમોને ના મળી હતી .

રિપોર્ટર : તુલસી ચાવડા,  ગીર સોમનાથ

Related posts

Leave a Comment