હિન્દ ન્યુઝ, રાજકોટ
વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC); GPCB દ્વારા ‘સર્ક્યુલર ઈકોનોમી અને સસ્ટેનેબિલિટી’ પર સેમિનાર યોજાયો.
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાયેલ આ સેમિનારમાં વેસ્ટ મેનેજમેન્ટ અને ગ્રીન ટેક્નોલોજી દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના વિકાસ સાધવા પર ભાર મૂકાયો.
સરકારે ઉદ્યોગોને વેસ્ટ મેનેજમેન્ટમાં મદદરૂપ થવા અને સસ્ટેનેબલ પ્રેક્ટિસ અપનાવવા માટે અનેક પ્રોત્સાહક નીતિઓ અમલી બનાવી છે : મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા
આ સેમિનારમાં ઉત્પાદન પ્રક્રિયામાં ઊર્જાની બચત, પ્રદૂષણમાં ઘટાડો અને પર્યાવરણલક્ષી અભિગમ અપનાવી ‘ગ્રીન મેન્યુફેક્ચરિંગ’ દ્વારા વૈશ્વિક બજારમાં સ્થાન મેળવવા આહવાન કરાયું.
