મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમાં ગ્રીન કવર વધારવા મહત્ત્વનો નિર્ણય

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

🌳 રાજ્યની 185 નદીઓના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા ‘વૃક્ષ ઉછેર ઝુંબેશ’ હાથ ધરાશે

🌳 આ ઝુંબેશ થકી વરસાદ વધવાની સાથે નદીઓના બંને કાંઠાની જમીનનું ધોવાણ અટકશે અને ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે

🌳 વૃક્ષ ઉછેર પહેલા જમીનનું સીમાંકન-GIS મેપિંગ કરીને કાર્યક્ષેત્ર-જમીનની ઓળખ કરાશે

🌳 ઓળખ કરેલી જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર-વૃક્ષ ઉછેર માટે જ કરવાનો રહેશે

🌳 આવી જમીનના રક્ષણ-જાળવણીની જવાબદારી વન વિભાગની રહેશે

🌳 આ પ્રકારની જમીન પર દબાણ હશે તો તે દૂર કરવાની સત્તા વન વિભાગ પાસે રહેશે

🌳 સામાજિક વનીકરણ હેઠળ શરતોને આધીન જે-તે જિલ્લા કલેક્ટરની કચેરી દ્વારા જગ્યાની પસંદગી કરાશે 

ગ્રીન કવર વધતાં રાજ્યનો વન વિસ્તાર વધશે જેથી વરસાદમાં વધારો થશે : વન-પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા

Related posts

Leave a Comment