વલસાડ જિલ્લાના ખેડૂતોમાં પણ પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગરૂકતા

હિન્દ ન્યુઝ, વલસાડ

    પ્રાકૃતિક ખેતી થકી દેશના ખેડૂતો આર્થિક રીતે ઉન્નત બને, દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ અને તંદુરસ્ત બને અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે ગામ દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. 

   રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે દિશામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સીધા માર્ગદર્શન હેઠળ ઝુંબેશના સ્વરૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લાના ખેડૂતોમાં પણ પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગરૂકતા લાવી પ્રાકૃતિક કૃષિનું આ અભિયાન જન આંદોલન બને તે અર્થે નાનાપોંઢા તાલુકામાં કપરાડા રોડ પર જીઈબી મેદાન ઉપર તા. ૨૩-૧૦-૨૫ને મંગળવારે સવારે ૧૦ કલાકે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહે એવુ આત્મા –વ- નાયબ ખેતી નિયામ (તાલીમ)ના પ્રોજેક્ટ ડાયરેકટર દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે. 

Related posts

Leave a Comment