ગાંધીનગર ખાતે સુવિધાસભર નિવાસ સંકુલનું ભાઈબીજના પવિત્ર પર્વે લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

      કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગુજરાત વિધાનસભાના સદસ્યો માટે ₹325 કરોડના અંદાજિત ખર્ચે ગાંધીનગર ખાતે કુલ 28,576 ચોરસ મીટરમાં નવનિર્મિત સુવિધાસભર નિવાસ સંકુલનું આજના ભાઈબીજના પવિત્ર પર્વે લોકાર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકર્પિત થયેલ આ સદસ્ય નિવાસ સંકુલમાં 238.45 ચોરસ મીટરના એક એવા કુલ 216 આવાસો ધરાવતા 12 બ્લોકસનું નિર્માણ કરવામાં આવેલ છે.

મહાનુભાવો દ્વારા આ અવસરે સદસ્ય નિવાસ સંકુલના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આધુનિક સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ આ સદસ્ય નિવાસ સંકુલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘કેચ ધ રેઈન’ અને જળ સંચયના આપેલા વિચારને અનુરૂપ ભૂગર્ભમાં વરસાદી પાણીના સંગ્રહ માટે રેઈન વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા ઉપરાંત કુલ 600 નવા વૃક્ષોનું વાવેતર કરીને માનનીય વડાપ્રધાનના પર્યાવરણ જાળવણીના સંકલ્પને સાકાર કરવા માટે નક્કર કદમ ભરવામાં આવેલ છે.

 

Related posts

Leave a Comment