હિન્દ ન્યુઝ, જામનગર
ભારત સરકાર દ્વારા 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છોત્સવ-૨૦૨૫ જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી તા.૨ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાની ઉજવણી કરાશે.
ત્યારે જામનગરની શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે કલેક્ટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફે સ્વચ્છતા જાળવવા અંગેના શપથ લીધા હતા.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડો.વિજય સાતા, એડિશનલ ડીન ડો.એસ.એસ.ચેટર્જી, ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડો.દિલીપ ગોહિલ, આરએમઓ ડો. સક્સેના, વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
