હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ જિલ્લાના તરઘડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૫ દિવસીય ‘કૃષિ સખી તાલીમ’ યોજાઈ હતી,જેમાં કૃષિ વિભાગના નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો દ્વારા ૩૨ બહેનોને પ્રાકૃતિક કૃષિ અને પશુપાલન વિષયક થિયરી અને પ્રેક્ટિકલ જ્ઞાન અપાયું.
આ તાલીમનો ઉદ્દેશ રાસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન આપવાનો અને વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવાનો છે. તાલીમમાં રહેણાંક અને જમવાની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવી હતી.
તાલીમ બાદ તમામ બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.હવે આ બહેનો પોતપોતાના ગામોમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભ અંગે માહિતી આપીને અન્યોને પણ પ્રશિક્ષીત બનાવશે.
