હિન્દ ન્યુઝ, ભાવનગર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તા. ૨૯ એપ્રિલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરનો ૯ મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાશે
રાજ્યપાલશ્રીના હસ્તે ૯૦ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાશે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરના ૧૩,૯૬૫ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ ડીજી લોકર એપ્લિકેશનના માધ્યમથી અપાશે.
કુલપતિ ડૉ. ભરતભાઇ બી. રામાનુજે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી.
