મત ગણતરી તા. ૧૮ મી ફેબ્રુઆરી ના રોજ ઓડ, બોરીયાવી, ઉમરેઠ, આંકલાવ અને ખંભાત ખાતે યોજાશે
હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ જિલ્લાની ૩ નગરપાલિકાઓ આંકલાવ, બોરીયાવી અને ઓડ તથા ઉમરેઠ તાલુકાની વોર્ડ નંબર ૪ અને ખંભાત તાલુકાની ૧ બેઠક ઉંદેલ પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ (રવિવાર) (સવારના ૭-૦૦ વાગ્યા થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી) ના રોજ રાખવામાં આવેલ છે.
સ્થાનિક સ્વરાજ્યના એકમોની સામાન્ય/ પેટા ચૂંટણીનું મતદાન બાદ તેની મત ગણતરી આગામી તારીખ ૧૮ મી ફેબ્રુઆરીને મંગળવારના રોજ સવારના ૯ – ૦૦ કલાકથી હાથ ધરાનાર છે. જે અન્વયે ઓડ નગરપાલિકાની મત ગણતરી ડી. એમ.પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ઓડ ખાતે, બોરીયાવી નગરપાલિકાની મત ગણતરી અખિલેશ એન્ડ તારકેશ આર્ટસ-કોમર્સ કોલેજ બોરીઆવી ખાતે, ઉમરેઠ નગરપાલિકા પેટા ચૂંટણીની મતગણતરી નગરપાલિકા પ્રાથમિક શાળા ઉમરેઠ ખાતે, આંકલાવ નગરપાલિકાની મતગણતરી આર્ટસ-કોમર્સ કોલેજ આંકલાવ ખાતે અને ખંભાત તાલુકા પંચાયત ૨૪ ઉંદેલ – ૨ પેટા ચૂંટણીની મતગણતરી મામલતદાર કચેરી, ખંભાત ખાતે યોજાશે.