સાંસદ રામભાઈ મોકરિયાની ઉપસ્થિતિમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી થશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    કેન્દ્ર સરકાર દ્વારા બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેની જન ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા પણ તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૩૧ ઓક્ટોબર ૨૦૨૪ સુધી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ ઉજવણી અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવશે.

સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને શહેરીના સંયુક્ત ઉપક્રમે સાંસદ રામભાઈ મોકરિયાની ઉપસ્થિતિમાં સવારે ૦૯.૦૦ કલાકે શ્રી રામમંદિર ઓડિટોરિયમ હોલ, ત્રિવેણી સંગમ રોડ ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવશે.

આ ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, સર્વે ધારાસભ્યઓ તેમજ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો તેમજ અન્ય પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહેશે. 

Related posts

Leave a Comment