આઈ.ટી.આઈ. જામનગર ખાતે પ્રવેશ મેળવવાની તારીખ આગામી 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

હિન્દ ન્યુઝ, જામનગર 

      આઈ.ટી.આઈ. જામનગરમાં ચાલુ વર્ષ માટે એડમિશનના ફોર્મ ભરવાની તારીખ ૩૦/૦૯/૨૦૨૪ સુધી લંબાવવામાં આવેલ છે. જેમાં વહેલા તે પહેલાના ધોરણે સંસ્થાના ચાલુ દિવસો દરમિયાન એડમિશન લઇ શકાશે. 

જે તાલીમાર્થીઓ સંસ્થા ખાતે એડમિશન લેવા ઇચ્છુક હોય તેઓએ itiadmission.gujrat.gov.in પર ઓનલાઈન એડમિશન ફોર્મ ભરી સંસ્થા ખાતે કચેરી સમય દરમિયાન ૦૪:૦૦ કલાકે મેરીટના ધોરણે એડમિશન કરાવી જવાનું રહેશે. તેમ આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જામનગરની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment