ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે શ્રાવણી પર્વ બળેવની ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ઉજવણી 

હિન્દ ન્યુઝ, સોમનાથ 

     ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે યાત્રાધામ પ્રાચી માં શ્રાવણી પર્વ બળેવની ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ઉજવણી કરવામાં આવી. બહોળી સંખ્યામાં ભુદેવોએ જનોઈ બદલી. શ્રવણ નક્ષત્ર નાં શુભ મહુર્તમાં આજે બળેવ પ્રસંગે જનોઈ બદલવામાં આવી. જનોઈ બદલ્યા બાદ રક્ષાબંધન પર્વ ઉજવાશે.

    પ્રાચી તીર્થ આજે મોક્ષ પીપળા સાનિધ્યમાં પ્રાચી તીર્થ ના ભૂદેવો દ્વારા સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો આજે બ્રાહ્મણ અને લોહાણા અને સમાજ આજે પણ જનોઈ ધારણ કરે છે. જનોઈને શાસ્ત્રોમાં ‘યજ્ઞોપવિત’ કહેવામાંં આવે છે. જે અતિ પવિત્ર ગણવામાં આવે છે. યજ્ઞોપવિતનું આધ્યાત્મિક મહત્વ તો છે જ તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. વિધિવત જનોઈ ધારણ કરવાથી વ્યક્તિ નિરોગી રહે છે અને ઉત્સર્જન તંત્રનાં રોગો થતા નથી. આજના દિવસે વિધિવત જનોઈ બદલીને ભુદેવોએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના દર્શન કરાવ્યા હતા. અને એની સાથે વિધિવત જનોઈ બદલી હતી. એની સાથે મુંબઈના લાભુ દાદા જાની અને તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ના હાસ્ય કલાકાર બકો એટલે કે કાંતિભાઈ જોશી વિધિવત પ્રાચીના ભૂદેવો સાથે જનોઈ બદલી હતી.

રિપોર્ટ : દિપક જોષી, ગીર સોમનાથ


Related posts

Leave a Comment