ભાવનગર જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી બનવા નિરમા સાથે MOU કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ના અનુસંધાને ભાવનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય મતદારો જાગૃત બને અને મતદારો અન્યને પણ મતદાન કરવા પ્રેરિત કરે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

જેના અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી આર.કે મહેતા દ્વારા ભાવનગર જિલ્લામાં આવેલ નિરમા કંપની સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી થવા માટે એમઓયુ કરવામાં આવ્યા છે.

આ તકે નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર. એન. ચૌધરી, ભાવનગર ગ્રામ્ય મામલતદાર બી. એ. ઠાકોર સહિત નિરમાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Related posts

Leave a Comment