બગદાણામાં ગુરુઆશ્રમનાં મોભી પૂજ્ય સ્વ. મનજીદાદાની પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા

હિન્દ ન્યુઝ, ભાવનગર

     ભાવનગર જિલ્લાનાં બગદાણા સ્થિત ગુરુઆશ્રમનાં મોભી અને પૂજ્ય સ્વ. બજરંગદાસ બાપાના અંતેવાસી સ્વ. મનજીદાદાની પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.

ગુરુઆશ્રમનાં મેનેજિંગ ટ્રસ્ટી સ્વ. મનજીદાદાનો ગત ૧૪મી ફેબ્રુઆરીએ દેહ વિલય થયો હતો.

સદગતને શ્રદ્ધાંજલિ આપવા બગદાણામાં યોજવામાં આવેલી પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ સ્વ. મનજીદાદાને પુષ્પો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમનાં પરિવાર અને ગુરુઆશ્રમના અનુયાયીઓને સાંત્વના પાઠવી હતી અને દિવંગત આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

 

 

Related posts

Leave a Comment