ઓડ નગર ખાતે શંકરા આઇ હોસ્પિટલ મોગર તેમજ સ્વ. વિનોદચંદ્ર ભોગીલાલ સોની પરિવારના સૌજન્યથી નેત્ર નિદાન શિબિરનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, આણંદ

આણંદના ઓડ નગરમાં તા.૧૫ ના રોજ સી.એચ.સી સેન્ટર ખાતે વિના મૂલ્યે આંખની તપાસ, મોતિયાના ઓપરેશન, ચશ્મા તેમજ આંખની તમામ સમસ્યાઓનું શંકરા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર દ્વારા નિદાન શિબિરનું આયોજન કરાયેલ.

આ શિબિરમાં ૩૫૫ કેસ નોંધાયા તેમાં વિના મૂલ્યે ૨૫૫ ચશ્મા તેમજ ૨૦ કેસ મોતિયાના ઓપરેશન માટે શંકરા આઇ હોસ્પિટલ મોગર ખાતે ખસેડવામાં આવ્યા.

આયોજનમાં શંકરા આઈ હોસ્પિટલ સ્ટાફ, ઓડ સી.એચ.સી સેન્ટર ડો.રાજ અને મેડીકલ સ્ટાફ, ઓડ ભાજપ સંગઠનના હોદે્દારો, પત્રકાર રમેશભાઈ રાણા, સેવાભાવી ભાઈ- બહેનો હાજર રહ્યા હતા.

સ્વ. વિનોદચંદ્ર ભોગીલાલ સોની પરિવારના, સુદર્શન ન્યુઝ તેમજ હિન્દ ન્યુઝ નાં માનદ પત્રકાર ભાવેશભાઈ સોની દ્વારા આ આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહેમાનો નો આભાર વ્યક્ત કરવામાં આવેલ.

આણંદ જિલ્લા બ્યુરોચીફ : ભાવેશ સોની

Related posts

Leave a Comment