રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે મતદાન જાગૃતિનો સંદેશો આપતી સુંદર રંગોળીનું જિલ્લા કલેકટર કચેરી ખાતે નિર્માણ કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર 

     જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે 14 માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના નાગરિકો મતદાન કરે અને લોકશાહીને મજબૂત બનાવે તેવા ઉમદા હેતુથી મતદાન જાગૃતિ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં નાગરિકોને સંદેશો આપતી સુંદર રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ રંગોળીના નિર્માણ માટે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન તળે જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરીના કર્મયોગીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

 

Related posts

Leave a Comment