જામનગરમાં આગામી તા.08 જાન્યુઆરીના રોજગાર ભરતી મેળાનું આયોજન કરાશે

હિન્દ ન્યુઝ, જામનગર

    જામનગર ઓદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા આગામી તા.08 જાન્યુઆરીના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોટી સંખ્યામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

ઉક્ત ભરતીમેળામાં હાજર રહેવા માંગતા ઉમેદવારોએ આગામી તા.08 જાન્યુઆરીના રોજ આઈ.ટી.આઈ. ઈન્સ્ટિટ્યૂટ, ચોથો માળ, સેમિનાર હૉલ ખાતે સવારે 10:30 કલાકે તેમના બાયોડેટા, શૈક્ષણિક તેમજ અનુભવની લાયકાતના પ્રમાણપત્રોની નકલ અને તેમના ફોટોગ્રાફની નકલ સાથે ઉપસ્થિત રહેવું. તેમ, આચાર્યશ્રી, ઓદ્યોગિક તાલીમ સંસ્થા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

 

Related posts

Leave a Comment