રાજકોટ,
રાજકોટ શહેર તા.૧૦.૭.૨૦૨૦ ના રોજ ગુજરાત પત્રકાર એકતા સંગઠન ના હોદેદારો તેમજ પત્રકારો દ્વારા રાજકોટ M.L.A. લાખાભાઈ સાગઠીયાને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. ઝોન પ્રભારી ભાર્ગવભાઈ જોષી, સહ પ્રભારી અમિતભાઇ પરમાર, સંજયભાઈ કુંભારવાડિયા, કિરીટસિંહ જાડેજા, ધવલભાઈ સવાણી પત્રકાર દ્વારા લેખિત રજુઆત કરાય કોરોના મહામારી ધ્યાનમાં રાખી પત્રકારો ના પ્રશ્ર્નો હલ કરવા આજીજી કરવામાં આવી હતી. વર્ષોથી ચાલતી સરકારી સહાયો બંધ કરી છે. એ ચાલુ કરવા અને પત્રકારો ના હક માટે રાજ્ય સરકાર ને પત્ર લખ્યો હતો.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ